Thursday, June 11, 2015

ભારત વિશે જાણો

સૂત્ર:
સંસ્કૃત: सत्यमेव जयते
ગુજરાતી: સત્યમેવ જયતે અર્થાત કેવળ સત્યનોજ જય થાય છે.
રાષ્ટ્રગીત: જન ગણ મન

રાજધાનીનવી દિલ્હી
1) 28°34′N 77°12′E
વિશાળતમ શહેરમુંબઇ
અધીકારીક ભાષાઓહીન્દી, અંગ્રેજી, તથા ૨૨ અન્ય ભાષાઓ
રાજસત્તાપ્રજાસત્તાક ગણરાજ્ય
- રાષ્ટ્રપતિપ્રણવ મુખર્જી
- વડાપ્રધાનનરેન્દ્ર દામોદરદાસ મોદી
સ્વતંત્રતાયુનાઇટેડ કિંગડમ પાસેથી
- સ્વતંત્રતા૧૫ ઑગસ્ટ ૧૯૪૭
- પ્રજાસત્તાક૨૬ જાન્યુઆરી ૧૯૫૦
વિસ્તાર
- કુલ૩૧,૬૬,૪૧૪1 km² (૭મો)
૧૨,૨૨,૫૫૯ sq mi
- પાણી (%)૯.૫૬
વસ્તી
- ૨૦૦૬ નો અંદાજ૧,૦૯,૫૩,૫૧,૯૯૫ (દ્વિતિય)
- ૨૦૦૧ ની ગણતરી૧,૦૨,૭૦,૧૫,૨૪૮
- ગીચતા૩૨૯ /km² (૩૧મો)
૮૫૨ /sq mi
GDP (PPP)૨૦૦૬ estimate
- કુલ$4.042 trillion (4th)
- માથાદીઠ$3,700 (117th)
GDP (nominal)2006 estimate
- Total$796.1 billion (12th)
- Per capita$820 (132th)
Gini? (1999–00)32.5 (medium)
HDI (2006) 0.611 (medium) (126th)
મુદ્રારૂપિયો (Rs) (INR)
ટાઇમ ઝોનIST (UTC+5:30)
- Summer (DST)not observed (UTC+5:30)
ઇન્ટરનેટ TLD.in
કૉલિંગ કોડ+૯૧
1ભારતના શાસન હેઠળની જગ્યાજ ગણવામાં આવી છે.

ભારતીય ગણરાજ્ય એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દક્ષિણ એશિયા માં સ્થિત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આ સાથે ભારત ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વમાં સાતમા નંબરનો અને વસ્તી ગણના પ્રમાણે બીજા નંબરનો દેશ છે. ભારતના એક અબજથી પણ વધુ નાગરિકો આશરે ચારસો જેટલી જુદી-જુદી ભાષાઓ બોલે છે. ભારત, purchasing power parity પ્રમાણે દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર, અને દુનિયાનું બીજું સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર છે. આર્થીક સુધારાઓને કારણે છેલ્લા ૨૦ વર્ષમાં ભારતનું વિશ્વભરમાં એક મોકાના સ્થાન તરીકેનું મહત્વ ઘણું વધ્યું છે.

એશિયામાં મોકાના સ્થાન પર આવેલો, ભારતીય ઉપખંડના મોટા ભાગ પર છવાયેલો, ભારત દેશ મોટી સંખ્યામાં ઘણા વ્યસ્ત વેપારી માર્ગો ધરાવે છે. તેની સરહદો તેને પાકિસ્તાન, ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, અને અફઘાનિસ્તાન1 સાથે જોડે છે. શ્રીલંકા, માલદીવ ટાપુઓ અને ઇન્ડોનેશિયા, હિંદ મહાસાગરમાં ભારતની નજીક આવેલા દેશો છે. દુનિયાની કેટલીક પ્રાચીનતમ સંસ્કૃતિઓના ઘર એવા ભારત દેશે ૧૯૪૭માં લગભગ ૯૦ વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી.

ભારત દેશનું નામ ભારતમાં જન્મેલા તેજસ્વી રાજા ભરત પરથી પડ્યું છે.

શકુંતલા અને દુષ્યંતનો પુત્ર ભરત; જે પરાક્રમથી દિગ્વિજય થયો.
ભારત દેશ પરાક્રમ, જ્ઞાન અને ત્યાગના આદર્શો ધરાવતો દેશ છે.

ભારત ભૌગોલિક રીતે ચોતરફથી કુદરતી સીમાઓ વડે રક્ષાયેલું છે. ઉત્તરમાં હિમાલયની દુર્ગમ પર્વતમાળાઓ, દક્ષિણમાં ભારતીય મહાસાગર, પૂર્વમાં ગીચ જંગલો અને પશ્ચિમમાં વિશાળ રણો તેને બીજા ભૂખંડોથી અલગ પાડે છે. આથી જ તેને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. તેનો આકાર હીરા જેવો હોવાથી તેને સંસ્કૃતમાં તેને જંબુદ્વિપ પણ કહે છે. ભારતનો ભૂખંડ પૂર્વે ચોતરફ પાણી થી રક્ષાયેલો હશે અને તે ધીમે ધીમે ઉપર તરફ ધસીને એશિયાના ભૂખંડ સાથે અથડાયો હશે તેવું આધુનિક વિજ્ઞાન પણ માને છે.

ભારતની ઉત્તરે હિમાચલ કે હિમાલયની પર્વતમાળ આવેલી છે. ઉત્તર ધૃવ તરફથી વહેતા ઠંડા પવનોને તે રોકી લે છે. હિમાલયની પર્વતમાળા પૂર્વમાં મ્યાનમાર કે બર્માથી ચાલુ થઇ પશ્ચિમમાં છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલી છે. ચીન અને ભારત વચ્ચે તે એક કુદરતી રાજકીય સીમાની ગરજ સારે છે. નેપાલ, ભૂતાન જેવા દેશ આ પર્વતમાળામાં જ આવેલા છે.

ભારતની જીવાદોરી સમાન ગણાતી નદીઓ જેવી કે ગંગા, યમુના, સિંધુ (અત્યારે પાકિસ્તાનમાં), બ્રહ્મપુત્રા વગેરે હિમાલયમાંથી નીકળે છે.

મધ્ય અને દક્ષિણના મેદાનો
હિમાલયમાંથી નીકળતી નદીઓ તેની દક્ષિણમાં અને ભારતની મધ્યમાં આવેલા મેદાન પ્રદેશમાંથી વહે છે અને અંતે ભારતીય મહાસાગરના ઉપસાગરો - અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર - માં મળી જાય છે. આ મેદાન પ્રદેશો ખૂબજ ફળદ્રુપ અને ખેતીલાયક હોવાથી દુનિયાનો સૌથી ગીચમાં ગીચ પ્રદેશ છે. ભારતીય સંસ્કૃતિ આ જ વિસ્તારમાં ખીલી છે. પૌરાણિક રીતે આ વિસ્તાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતના મહાન રાજાઓ, વ્યક્તિઓ આ જ વિસ્તારમાં જન્મી છે.

પૂર્વના જંગલો
ભારતની પૂર્વમાં અરૂણાચલ પ્રદેશ વગેરે સીમાડાના રાજ્યો અને મ્યાનમાર ને જોડતા પ્રદેશોમાં ગીચ જંગલો આવેલા છે. આ પ્રદેશમાં પુષ્કળ વરસાદ થાય છે. અહીંના ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ (૧૦૦ ઇંચ) થાય છે. પુષ્કળ વરસાદના કારણે જમીન ખૂબ જ ફળદ્રુપ છે.

પશ્ચિમનાં રણો
ભારતની પશ્ચિમે કચ્છ નુ નાનુ ,મોટુ રણ્ અને થારના રણો આવેલા છે. ઐતિહાસિક ભારત અફઘાનિસ્તાન અને ઇરાનની સીમાઓ સુધી વિસ્તેલું હતુ. વિદેશી આક્રમણકારો આ રણને બદલે કારાકોરમનો ઘાટ વટાવીને ભારતમાં પ્રવેશ કરતા. આજે કચ્છનું રણ ગુજરાત માં અને થારનું રણ રાજસ્થાન અને પાકિસ્તાનમાં આવેલું છે. આ રણના પોખરન વિસ્તારમાં ભારતે પરમાણુ બોમ્બનો પ્રયોગ પણ કરેલ છે.

દક્ષિણનો સાગર
ભારતનો દક્ષિણ ભાગ ત્રણ તરફ સમુદ્રથી ઘેરાયેલો છે. દક્ષિણ ભારતની પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલો છે. આ સમુદ્રમાં ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વિપ ટાપુઓ અને શ્રીલંકા અને માલદીવ ટાપુ જેવા દેશો આવેલા છે. ભારતની હિંદ મહાસાગરમાંની ભૂશિરને કન્યાકુમારી તરીકે ઓળખાય છે. ભારતમાં થતો વરસાદ આ સમુદ્રની આબોહવાને આધારી છે. ભારતની તટ-રેખા ૧૯૫૭ કી.મી ની છે, જે દુનિયામાં સૌથી લાંબી છે.

ભારત ભૌગોલિક રીતે ચોતરફથી કુદરતી સીમાઓ વડે રક્ષાયેલું છે. ઉત્તરમાં હિમાલયની દુર્ગમ પર્વતમાળાઓ, દક્ષિણમાં ભારતીય મહાસાગર, પૂર્વમાં ગીચ જંગલો અને પશ્ચિમમાં વિશાળ રણો તેને બીજા ભૂખંડોથી અલગ પાડે છે. આથી જ તેને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. તેનો આકાર હીરા જેવો હોવાથી તેને સંસ્કૃતમાં તેને જંબુદ્વિપ પણ કહે છે. ભારતનો ભૂખંડ પૂર્વે ચોતરફ પાણી થી રક્ષાયેલો હશે અને તે ધીમે ધીમે ઉપર તરફ ધસીને એશિયાના ભૂખંડ સાથે અથડાયો હશે તેવું આધુનિક વિજ્ઞાન પણ માને છે.

ઉત્તરનો પર્વતાળ પ્રદેશ

હિમાલયની પર્વતમાળા
ભારતની ઉત્તરે હિમાચલ કે હિમાલયની પર્વતમાળ આવેલી છે. ઉત્તર ધૃવ તરફથી વહેતા ઠંડા પવનોને તે રોકી લે છે. હિમાલયની પર્વતમાળા પૂર્વમાં મ્યાનમાર કે બર્માથી ચાલુ થઇ પશ્ચિમમાં છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલી છે. ચીન અને ભારત વચ્ચે તે એક કુદરતી રાજકીય સીમાની ગરજ સારે છે. નેપાલ, ભૂતાન જેવા દેશ આ પર્વતમાળામાં જ આવેલા છે.

ભારતની જીવાદોરી સમાન ગણાતી નદીઓ જેવી કે ગંગા, યમુના, સિંધુ (અત્યારે પાકિસ્તાનમાં), બ્રહ્મપુત્રા વગેરે હિમાલયમાંથી નીકળે છે.

મધ્ય અને દક્ષિણના મેદાનો
હિમાલયમાંથી નીકળતી નદીઓ તેની દક્ષિણમાં અને ભારતની મધ્યમાં આવેલા મેદાન પ્રદેશમાંથી વહે છે અને અંતે ભારતીય મહાસાગરના ઉપસાગરો - અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર - માં મળી જાય છે. આ મેદાન પ્રદેશો ખૂબજ ફળદ્રુપ અને ખેતીલાયક હોવાથી દુનિયાનો સૌથી ગીચમાં ગીચ પ્રદેશ છે. ભારતીય સંસ્કૃતિ આ જ વિસ્તારમાં ખીલી છે. પૌરાણિક રીતે આ વિસ્તાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતના મહાન રાજાઓ, વ્યક્તિઓ આ જ વિસ્તારમાં જન્મી છે.

પૂર્વના જંગલો
ભારતની પૂર્વમાં અરૂણાચલ પ્રદેશ વગેરે સીમાડાના રાજ્યો અને મ્યાનમાર ને જોડતા પ્રદેશોમાં ગીચ જંગલો આવેલા છે. આ પ્રદેશમાં પુષ્કળ વરસાદ થાય છે. અહીંના ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ (૧૦૦ ઇંચ) થાય છે. પુષ્કળ વરસાદના કારણે જમીન ખૂબ જ ફળદ્રુપ છે.

પશ્ચિમનાં રણો
ભારતની પશ્ચિમે કચ્છ નુ નાનુ ,મોટુ રણ્ અને થારના રણો આવેલા છે. ઐતિહાસિક ભારત અફઘાનિસ્તાન અને ઇરાનની સીમાઓ સુધી વિસ્તેલું હતુ. વિદેશી આક્રમણકારો આ રણને બદલે કારાકોરમનો ઘાટ વટાવીને ભારતમાં પ્રવેશ કરતા. આજે કચ્છનું રણ ગુજરાત માં અને થારનું રણ રાજસ્થાન અને પાકિસ્તાનમાં આવેલું છે. આ રણના પોખરન વિસ્તારમાં ભારતે પરમાણુ બોમ્બનો પ્રયોગ પણ કરેલ છે.

દક્ષિણનો સાગર
ભારતનો દક્ષિણ ભાગ ત્રણ તરફ સમુદ્રથી ઘેરાયેલો છે. દક્ષિણ ભારતની પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલો છે. આ સમુદ્રમાં ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વિપ ટાપુઓ અને શ્રીલંકા અને માલદીવ ટાપુ જેવા દેશો આવેલા છે. ભારતની હિંદ મહાસાગરમાંની ભૂશિરને કન્યાકુમારી તરીકે ઓળખાય છે. ભારતમાં થતો વરસાદ આ સમુદ્રની આબોહવાને આધારી છે. ભારતની તટ-રેખા ૧૯૫૭ કી.મી ની છે, જે દુનિયામાં સૌથી લાંબી છે.

લોકજીવન

ભારત દેશનું લોકજીવન "વિવિધતામાં એક્તા" સૂત્રને આત્મસાત કરતું દેખાય છે. જુદા જુદા પ્રાંતના લોકોનો પોષાક, ખાણીપીણી, ભાષા જુદા જુદા હોવા છતા તેઓ એક ભારત દેશની છત્રછાયામાં રહે છે. આ દેશમાં ભાષા, ધર્મ, જાતિ વગેરેમાં અલગ અલગ એવી પ્રજા ઐતિહાસિક કાળથી આવીને વસી છે. પૌરાણીક ભારતમાં યવન, પહલવ, મ્લેચ્છ, બર્બર જેવી જાતિઓનો ઉલ્લેખ છે જે ભારતના લોકો સાથે સંપર્કમાં હતી અને એકબીજાને યુદ્ધ દરમિયાન મદદ કરતા. આ જાતિઓમાંથી ઘણા લોકો ભારતમાં વસ્યા અને તેના લોકોમાં ભારતીય તરીકે ભળી ગયા. દુનિયાના સૌથી વધુ ધર્મો ભારતમાં ઉદ્ભવ પામ્યા છે અને ઘણા ધર્મના લોકોએ ભારતમાં આશ્રયસ્થાન લીધું છે. આજનું ભારત જાતિવાદ, ધર્મવાદ જેવા પરિબળોથી ત્રસ્ત છે પરંતુ રાજકીય એક્તા ટકાવીને પોતાની અદાથી આગળ વધતુ રહે છે.

ભાષા અને રાજ્યો
પૌરાણીક ભારતમાં એક ભાષા - સંસ્કૃત પ્રચલિત હતી. સમય જતા સંસ્કૃતમાંથી વિવિધ પ્રાકૃત ભાષાઓનો જન્મ થયો જે સન્ ૧૦૦૦ થી આજ સુધી વિકાસ પામીને સ્વતંત્ર ભાષાઓ બની છે. ભારતમાં આજે ૧૮ સંવૈધાનિક ભાષાઓ છે. ભારતની આઝાદી પછી જવાહરલાલ નહેરુના માર્ગદર્શન મુજબ ભારતમાં ભાષાકીય રાજ્યો બન્યા; જે મુજબ એક ભાષા વાળા પ્રાંતનું પોતાનુ રાજ્ય થયું. હિન્દી બોલતી પ્રજાને વિવિધ રાજ્યોમાં વહેંચવામાં આવી. આમ, અમુક રાજ્યને બાદ કરતા મુખ્યત્વે દરેક રાજ્યને પોતાની ભાષા છે. ભારતની પોતાની ભાષા હિન્દી છે. તમિળ સિવાયની દરેક ભાષાનું મૂળ સંસ્કૃત છે.

ધર્મો અને માન્યતાઓ
ધર્મની બાબતમાં ભારત પૌરાણીક કાળથી વિવિધતા ધરાવતો દેશ છે. ભારતીય વ્યાખ્યા પ્રમાણે ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ વગેરે જુદા-જુદા સંપ્રદાયો છે જે પોતાની રીતે ઇશ્વરની વ્યાખ્યા અને તેને પહોંચવાની વિધી બતાવે છે. ભારતીય તત્વજ્ઞાન મુજબ ઇશ્વર એક છે અને તેના રૂપો અનેક છે અને તેને પહોંચવાની જુદી-જુદી રીતો હોય શકે. આથી જ ભારતમાં અનેક દેવી-દેવતામાં માનવામાં આવે છ

ભારતનુ બંધારણ જાન્યુઆરી ૨૬, ૧૯૫૦ મા અમલમા આવ્યુ. ભારતીય બંધારણનો દસ્તાવેજ ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી ગણતંત્ર દર્શાવે છે

૧. આંધ્ર પ્રદેશ ૨. અરુણાચલ પ્રદેશ ૩. આસામ ૪. બિહાર ૫. છત્તીસગઢ ૬. ગોઆ ૭. ગુજરાત ૮. હરિયાણા ૯. હિમાચલ પ્રદેશ ૧૦. જમ્મુ અને કાશ્મીર ૧૧. ઝારખંડ ૧૨. કર્ણાટક ૧૩. કેરળ ૧૪. મધ્ય પ્રદેશ ૧૫. મહારાષ્ટ્ર ૧૬. મણિપુર ૧૭. મેઘાલય ૧૮. મિઝોરમ ૧૯. નાગાલેંડ ૨૦. ઓરિસ્સા ૨૧. પંજાબ ૨૨. રાજસ્થાન ૨૩. સિક્કિમ ૨૪. તમિલનાડુ ૨૫. ત્રિપુરા ૨૬. ઉત્તરાખંડ ૨૭. ઉત્તર પ્રદેશ ૨૮. પશ્ચિમ બંગાળ

કેન્દ્ર શાસિત પ્રદેશો

૧. આંદામાન અને નિકોબાર ટાપુઓ
૨. ચંડીગઢ
૩. દાદરા અને નગરહવેલી
૪. દમણ અને દીવ
૫. દિલ્હી
૬. લક્ષદીપ ટાપુઓ
૭. પોંડીચેરી

સમસ્યાઓ

ભારતની ગણના આજે (૨૦૦૭) એક વિકાસશીલ દેશ (જે પુરતો વિકસિત નથી) તરીકે થાય છે. સૌ દેશોની માફક તેની આંતરીક અને બાહ્ય સમસ્યાઓ છે જે તેના વિકાસમાં અડચણ રૂપ છે. ભારતની સમસ્યાઓ નીચે મુજબ છે:

આંતરીક સમસ્યા

૧. વસ્તીવધારો
૨. જાતિવાદ
૩. નિરક્ષરતા
૪. ભ્રષ્ટાચાર
૫. ગરીબી
૬. અનામત પ્રથા
૭. કાશ્મીર સમસ્યા
૮. આંતરીક વિગ્રહો
૯. ધાર્મિક આતંકવાદ
૧0. રાજકીય અસ્થિરતા
બાહ્ય સમસ્યા

૧. ચીન સાથેનો સીમાવિવાદ
૨. પાકિસ્તાનનો આતંકવાદ
૩. બાંગ્લાદેશી ઘૂસણખોરી

વિખ્યાત વ્યક્તિઓ

ભારતે વિશ્વને સમયે-સમયે મહાન વ્યક્તિઓની ભેટ આપી છે. નીચેના ભારતના વિખ્યાત વ્યક્તિઓ છે જે ભારતમાં અથવા તો વિશ્વમાં વિખ્યાત છે.

પૌરાણીક
રામ
કૃષ્ણ
બુદ્ધ
ચાણક્ય
શંકરાચાર્ય
કાલિદાસ
આર્યભટ્ટ
રાજા ભરત
ઐતિહાસિક
અશોક
મહારાણા પ્રતાપ
રાણી લક્ષ્મીબાઈ
શિવાજી
બાબર
અકબર
હુમાયુ
ટીપુ સુલ્તાન
શાહજહાં
મહમદ બેગડો

રાજકારણિય/અન્ય
મહાત્મા ગાંધી
સ્વામી વિવેકાનંદ
જવાહરલાલ નેહરુ
સુભાષચંદ્ર બોઝ
સરદાર પટેલ
જગદીશચંદ્ર બોઝ
ઈન્દિરા ગાંધી
મહર્ષિ અરવિંદ
ડૉ. ભીમરાવ આંબેડકર
અબ્દુલ કલામ.......

ઉમેશ એમ બી.

No comments:

Post a Comment